Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને શ્રધ્ધાંજલિ પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ, તા.૧૮: મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના દુઃખદ અવસાન સબબ હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવે છે કે, સોમ્ય અને સરળ સ્વભાવ, હોદ્દાનું કોઈ અભિમાન નહિ સામાન્ય માણસની માફક હંમેશા તેઓનું વર્તન રહેલ. ગોવામાં ખુબ લોકચાહના ધરાવતા હતા. જેના કારણે ગોવાના ચાર વખત મુખ્યમંત્રી તરીકે રહી ચુકયા છે. ભારત સરકારમા પણ સંરક્ષણ પ્રધાન તરીકે અગત્યની જવાબદારી નિભાવેલ.આવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા શ્રીપરિકરજીના દુઃખદ અવસાનથી સમાજમાં ખુબ જ મોટી ખોટ પડેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેમજ તેમના પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.

(3:53 pm IST)