Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સ્વાઇન ફલૂથી રાજકોટના ૫૦ વર્ષના મહિલાનું મોતઃ મૃત્યુઆંક ૮૮ થયો

કોઠારીયા રોડ વિસ્તારના મહિલાએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ આજે સિવિલ-ખાનગી હોસ્પિટલમાં ૩૪ દર્દી દાખલ

રાજકોટ તા. ૧૮: સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે.  કોઠારીયા રોડ રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારના ૫૦ વર્ષના મહિલાનુંગિરીરાજ હોસ્પિટલમાં મોત થયું છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો હતો.  તે સાથે કુલ મૃત્યુઆંક ૮૮ થઇ ગયો છે.૫૦ વર્ષના વૃધ્ધ કેટલાક દિવસથીખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં અને રિપોર્ટ પોઝિટીવ હતો. તેનું આજે સવારે મોત થયું હતું. તા. ૧-૧-૧૯ થી તા. ૧૫-૩-૧૯ સુધીમાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના કુલ ૩૫૫  દર્દી જાહેર થયા છે. આજના દિવસે ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ, ગોંડલ, પડધરી, અમરેલી, દ્વારકા, જુનાગઢ, મોરબી, પોરબંદર, સુરત, ગીર સોમનાથ, જામનગર સહિતના ગામ-શહેરોના દર્દીઓનો સમાવેશ થાય છે.

(3:47 pm IST)