Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઓમનગરમાં તાવ-આંચકીથી ૧૧ માસની પાયલનું મોતઃ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: મવડી પ્લોટ ઓમનગર-૪માં રહેતાં ચતુરભાઇ જસાણી (દેવીપૂજક)ની પુત્રી પાયલ (ઉ.૧૧ માસ)ને ગઇકાલે બિમારી સબબ સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ  તાલુકા પોલીસને જાણ કરી હતી. પાયલપાંચ બહેનમાં નાની હતી. ત્રણેક દિવસથી તાવ આવતો હતો અને આંચકી ઉપડી હતી. આ કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તબિયત વધુ બગડ્યા બાદ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બાળકીના પિતા ચતુરભાઇ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે.

(1:01 pm IST)