Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા શહિદોને શ્રધ્ધાસુમન પ્રાર્થના સભા

મહિલાઓ દ્વારા આયોજનઃ અનેક બહેનો ભાવુક બન્યા

રાજકોટ : વોર્ડ નં. ૧૩ માં પુલવામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના  ૪ર જવાનો શહીદ થયેલ એના અનુસંધાને પ્રાર્થના સભા જાગૃતીબેન ડાંગર વોર્ડ ૧૩ કોર્પોરેટર દ્વારા રાખવામાં આવેલ જેમાં ફકત મહીલાઓ દ્વારા રાખવામાં આવેલ આ તકે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ અને ભાવુકતાથી શ્રધ્ધાસુમન આપેલ  આ તકે હેતલબેન, ચારૂબેન, ભાવીકાબેન, લીલાબેન, રમાબેન, સરયુબેન, જયોતીબેન, લાભુબેન, ગીતાબેન, નીશાબેન, કંચનબેન, સુધાબેન, સરોજબેન, શાન્તાબેન સહિતના બહેનો ઉપસ્થિત રહેલ. (પ-૪પ)

 

(4:28 pm IST)