Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

લોધેશ્વર સોસાયટીમાં અમદાવાદના કોમલબેન રાઠોડનું બીમારી સબબ મોત

રાજકોટ : અમદાવાદ બાપુનગરમાં રહેતા કોમલબેન નીલેશભાઇ રાઠોડ રાજકોટ લોધેશ્વર સોસાયટી શેરી નં.૬માં રહેતા તેના ફૈબા નર્મદાબેન ભાવસીંગભાઇના ઘરે આવ્યા હતા. તેને ફેફસાની તથા ટીબીની બીમારી હોઇ ગઇકાલે કોમલબેન બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.કે. પાડાવદરએ તપાસ આદરી હતી જયારે બીજા બનાવમાં નાના મવા ચોકડી સીલ્વર હાઇટની સામે ખુલ્લા મેદાનમાં રામભાઇ ઉર્ફે પોપટભાઇ જીલુભાઇ વાઘેલા (ઉ.વ.૩પ)નું ગઇકાલે બીમારી સબબ મોત નિપજયું હોવાની તેના નાનાભાઇ રાજુભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પાડાવદરાએ તપાસ આદરી છે.

(1:03 pm IST)