Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

લગ્નની લાલચ આપી બદકામ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૮ : લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને અદાલતે જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના ભકિતનગર પો.સ્ટે.ના આઇ.પી.સી.કલમ ૩૬૩, ૩૬૬, અને પોકસોએકટ કલમ ૮, ૧ર મુજબની ફરીયાદ રોહીતભાઇ રમેશભાઇ કારીયાએ આરોપી પ્રદિપ ઉર્ફે પારસ મનસુખભાઇ મૈયડ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલી, જે ફરીયાદમાં ભોગ બનનારની ઉંમર વર્ષ ૧૪ વર્ષ અને ૧૭ દિવસ હતા. જે ફરીયાદની અનુસંધાને તપાસની અધિકારીએ આરોપીની ધરપકડ કરી, કોર્ટમાં રજુ કરતા, જેલ હવાલે કરેલ હતો.

આરોપીએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા, બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે શ્રી યુ.ટી.દેસાઇએ આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, મનીષાબેન પોપટ, અતુલ એ. બોરીચા, સી.એચ. પાટડીયા, જી.એમ. વોરા, પ્રકાશ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે.યાદવ, અહેશાન એ.કલાડીયા વગેરે રોકાયેલા હતા.

(4:34 pm IST)