Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રામ મંદિર નિર્માણ માટે સમર્પણનો ધોધ

 રામજન્મભુમિ પર મંદિર નિર્માણ માટે ધન સમર્પણ અભિયાન શરૂ કરાતા બધેથી વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યા છે. શહેરના નટરાજનગર વિસ્તારનો નીધિ સમર્પણ કાર્યક્રમ આર્ષ વિદ્યામંદિરના સ્થાપક સંત સમિતિના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદજી, જાણીતા કથાકાર અશોકભાઇ ભટ્ટ, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ અઘેરા, વિહીપના શાંતુભાઇ રૂપારેલીયા, મહિલા અગ્રણી રૂપાબેન શીલુ, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં ડો. જીતેન્દ્ર અમલાણી દ્વારા એકલાખ અગીયાર હજાર એકસો અગીયાર, માધવ શરાફી મંડળીના ડો. નવલભાઇ શીલુ દ્વારા રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ઓમની ફોર્જીંગ દ્વારા એકાવન હજાર મળી રૂ.૪,૯૫,૬૯૭ નીધિ અર્પણ કરાઇ હતી. જે બદલ સમર્પણભાવ દર્શાવનાર તમામ રામ ભકતોનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નટરાજનગર અભિયાન સમિતિના ભરતભાઇ જોષી, મહેન્દ્રભાઇ જોષી, દિલીપભાઇ ભટ્ટ, સુભાષભાઇ દવે, આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંતના મહેશભાઇ જીવાણી, નરેન્દ્રભાઇ દવે, કિશોરભાઇ મુંગલપરા, પંકજભાઇ રાવલ, જગતભાઇ વ્યાસ, હીરેનભાઇ ચીકાણી, જયેશભાઇ સંઘાણી, ઇશાનભાઇ ભટ્ટ વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.

(4:33 pm IST)