Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સફાઇ કામદાર સંગઠનો દ્વારા રાજુભાઇ સોરઠીયાને અંજલી

શહેર ભાજપના નેતા પુર્વ કોર્પોરેટર તેમજ વોર્ડ નં.૧૪ના ચાલુ ટર્મના કોર્પોરેટર શ્રીમતી કિરણબેન સોરઠીયાના પતિ રાજુભાઇ સોરઠીયાનું દુઃખદ અવસાન થતા શોકની લાગણી પ્રસરેલ છે. વાલ્મિકી સમાજના આગેવાનશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મ્યુનિસિપાલીટી કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશનના મંત્રી શંકરભાઇ વાઘેલા, તેમજ યુનિયનના પ્રતિનિધિઓ તેમજ શહેર ભાજપના પુર્વ શહેર સફાઇ કામદાર સેલના પ્રમુખ શ્રવણભાઇ એમ.ચૌહાણ, ઠક્કરબાપા વાલ્મિકી સંગઠન સમિતિના પ્રમુખ ભરતભાઇ વાઘેલા તેમજ ભા.જ.પા.સહયોગી સંગઠન મીડીયા વિભાગ સંગઠન સચિવ ગૌતમભાઇ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ ચૌહાણ, મનોજ શીંગાળા, શંકરભાઇ કે.વાઘેલા, રોહિતભાઇ વાઘેલા સહિતના વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વાલ્મિકી સમાજના આગેવાનશ્રીઓ સોરઠીયા પરિવારના નિવાસ સ્થાને મોભીશ્રીઓ તેમજ સ્વ.રાજુભાઇ સોરઠીયાના જયેષ્ઠ પુત્રો સાથે દુઃખ વ્યકત કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

(4:28 pm IST)