Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

વિજયભાઇનો વાણી વિલાસ જ કુંવરજીભાઇ બાવળીયાને હરાવશે : સિધ્ધાર્થ પરમાર

પટેલો, કોળી, ઓબીસી, દલિતો માટે વપરાતા અપમાનજનક શબ્દો ભાજપને ભારે પડશે

રાજકોટ તા. ૧૭ : 'જસદણ વિધાન સભાની ચુંટણીમાં વિજયભાઇ રૂપાણી દ્વારા થઇ રહેલ વાણી વિલાસ જ કુંવરજીભાઇ બાવળીયાને હરાવી દેશે' તેમ એક નિવેદનમાં માજી ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે જણાવેલ છે.

તેઓએ જણાવેલ છે બે નાનપણથી આર.એસ.એસ.ના સ્વયંસેવક તરીકે ઉછરેલા વિજયભાઇ મનુવાદી માનસીકતા ઉપર કાબુ રાખી શકતા નથી. વિજયભાઇએ જાતિઓ પ્રત્યે ધૃણાનું રાજકારણ ખેલ્યુ છે. તેમની લોકસભાની ચુંટણીની એક સ્પીચ જે હાલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થઇ છે તે સાંભળતા તેમની પટેલો, કોળી, ઓબીસી, દલિતો પ્રત્યે અપમાનજનક શબ્દો વાપર્યા છે તે જોતા ભાજપને આ શબ્દો ખુબ ભારે પડશે.

 સમાજના મતોથી બનેલી સરકારના મુખ્યમંત્રી અન્ય સમાજ પ્રત્યે આટલી ધૃણા રાખે તે ખુબ દુઃખદ કહેવાય.

વધુમાં શ્રી પરમારે જણાવેલ છે કે જસદણ વિંડ ફાર્મના માલીકોને ફાયદો કરાવવા ખેડુતોની જમીનો ગેરકાયદેસર રીતે ખોદી નાખેલ અને પોલીસનો બળપ્રયોગ ખેડુતો ઉપર કરાયો હતો તે વાત જસદણની જનતા હજી ભુલી નથી.

આ તમામ મુદ્દાઓ જોતા કુંવરજીભાઇ બાવળીયાની હાર નિશ્ચિત જ મનાઇ રહ્યાનું અંતમાં સિધ્ધાર્થ પરમાર (મો.૯૮૯૮૫ ૦૭૭૦૩) એ જણાવેલ છે. (૧૬.૨)

(11:45 am IST)