Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

માધવરાયજી ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન - અભિવાદન સમારોહ

 માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર, રીંગરોડ બાયપાસ ચોકડી ખાતે તાજેતરમાં સ્નેહ મિલન અને તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. નાની બાળાઓના હસ્તે દીપપ્રાગટય બાદ સ્વાગત નૃત્ય રજુ થયેલ. ત્યારબાદ નાના બાળકોથી લઇને કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઇ બહેનોને શીલ્ડ, સન્માનપત્ર, સ્કુલબેગ આપી સન્માનીત કરાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ તેમજ ગેમ ઝોનનું પણ આયોજન થયેલ. કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર અને એન્કર સુખદેવભાઇ ડાંગર દ્વારા કરાયુ હતુ. કાર્યક્રમમાં શ્રી કકકડ, કેયાબેન ચોટલીયા, દુર્લભજીભાઇ ચાવડા, સુરેશભાઇ ટાંક, એસ. બી. રાઠોડ, રમાબેન રાઠોડ, ચેતનભાઇ વ્યાસ, વિજયભાઇ વકીલ, પરાગભાઇ ગણાત્રા, રમેશભાઇ ટાંક, વિનુભાઇ સોલંકી, જયદિપભાઇ કાચા, અશોકભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઇ ચાવડાએ કરી હતી. કાર્યક્રમની પુર્ણાહુતી રાષ્ટ્રગાન સાથે કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિલેષભાઇ ચાવડા, જતીનભાઇ મારૂ, રીતેશભાઇ ટાંક, કિશોરભાઇ ચોટલીયા, સંદીપભાઇ મકવાણા, કારોબારી સભ્યો મયુરભાઇ મારૂ, મનોજભાઇ રાઠોડ, વિપુલભાઇ ટાંક, હંસીલભાઇ ટાંક, હિતેષભાઇ ભાલીયા, સંજયભાઇ બારડ, રાકેશભાઇ પરમાર, કાંતિભાઇ ચાવડા, વિજયભાઇ રાઠોડ, અમિતભાઇ કાચા, સભ્યો રાકેશભાઇ ટાંક, ભાવેશભાઇ રાઠોડ, લાલભજીભાઇ કાચા, કિશનભાઇ સોલંકી, મીહીરભાઇ ટાંક, ધર્મેશભાઇ રાઠોડ, અશોકભાઇ ગોહેલે જહેમત ઉઠાવી હતી.

(2:36 pm IST)