Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે વાર્તાલાપ

 મેનેજમેન્ટ એસો. દ્વારા તાજેતરમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાર્તાલાપનું આયોજન કરાયુ હતુ. જેમાં રામકૃષ્ણ આશ્રમના શ્રી નિખિલેશ્વરાનંદજી સ્વામીએ વિષદ્દ છણાવટ કરી હતી. ફર્ગેટ, ફર્ગીવ અને ફલેકસીબલને આત્મસાત કરવાની તેઓએ શીખ આપી હતી. જીવનમાં કાયમ હસતા રહેવા અને ધ્યાન કરવા જણાવેલ. વાર્તાલાપમાં બહોળી સંખ્યામાં સી.એ., એન્જીનિયર્સ, ડોકટર્સ અને મેનેજમેન્ટના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. ચેતનભાઇ નંદાણી અને ચેતનભાઇ ગણાત્રા, સંસ્થાના ચેરમેન ચેતનભાઇ કોઠારી, પ્રમુખ પરાગભાઇ જોબનપુત્રા, યુ.પી. જયેનભાઇ કોટેચા, ધર્મેશ રાવલ, સેક્રેટરી પરેશ ગોસાઇ, પાસ્ટ ચેરમેન દિપક સચદે, નિલેશભાઇ સચદેવ, રિપલભાઇ પટેલ, રાજુભાઇ હરીયાણી, દિનકરભાઇ, જયંતભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન ધર્મેશભાઇ રાવલે અને અંતમાં આભારવિધિ પરેશ ગોસાઇએ કરી હતી.

(2:35 pm IST)