Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભયંકર ડેન્ગ્યુ અને વાયરલ તાવનો રામબાણ ઈલાજ શાસ્ત્રોકત રીતે નિર્માણ કરેલ આયુર્વેદિક ઔષધી છે : વૈદ્ય સ્તવન શુકલ

સોમવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ, ઔષધીનો ફકત ટોકનચાર્જ લેવાશે : વૈદ્ય સ્તવન શુકલ દ્વારા શાસ્ત્રોકતયુકત ઔષધીઓ બનાવવામાં આવી છે

રાજકોટ :  શહેરની આસપાસના શહેરો અને વિસ્તારોમાં ભારે ચોમાસા બાદ મચ્છરજન્ય ડેન્ગ્યુ અને વાયરલ તાવ જેવી હઠીલી વ્યાધીઓના અજગર ભરડામા લોકો પીસાય રહ્યા છે. ઘરે-ઘરે દર્દીઓ તાવ, માથાના દુખાવા, સ્નાયુના દુખાવા અને સાંધાના દુખાવાની ફરિયાદ કરતા જોવા મળે છે. ડેંગ્યુ તાવ સંક્રમિત એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને તે મચ્છર દિવસ દરમિયાન કરડે છે.

ડેંગ્યુ જેવા તાવના સામાન્ય લક્ષણોમાં તાવ ચડવો, ઠંડી લાગવી, કળતર થવી, સાંધાનો દુખાવો, સાંધા જકડાઇ જવા, સખત નબળાઇ લાગવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, આંખની કીકી પાછળ દુખાવો, ઝાડા થવા, અરૂચિ, ઉલ્ટી, ઉબકા, ગળામાં દુખાવો, ઠંડો લાગવી, શરીરે ખંજવાળ આવવી અને ચાંઠા દેખાવા વગેરે છે. જયારે હેમરેજિક ડેગ્યુમાં જઠરમાં સતત અને તીવ્ર દુખાવો થવો, ચામડી ફીક્કી થવી, નાક અને દાંતના પેઢામાંથી લોહી નિકળવુ જેવા લક્ષણો જોવા મળે છે.

રાજકોટના જાણીતા યુવા વૈદ્ય સ્તવન શુકલ કે જેમણે આયુર્વેદની અકસીર ઔષધથી અસંખ્ય દર્દીઓને ઘણી હઠિલી વ્યાધીઓમાંથી સાજા કર્યા છે. તેઓ કહે છે કે, 'ડેન્ગ્યુ હેમરેજિક ડેન્ગ્યુ (ડીએચએફ) અને વાયરલ તાવનો રામબાણ ઈલાજ આયુર્વેદિક ઔષધ છે. છેલ્લા થોડા મહિનાઓમાં આ પ્રકારના ઝેરી તાવનો ઉપદ્રવ ભયંકર રીતે વધ્યો છે, જેમા બાળકોથી માંડી વયોવૃધ્ધ સૌ કોઇ તેનો ભોગ બની રહ્યા છે. શાસ્ત્રોકત રીતે નિર્માણ કરેલ ઔષધિથી અસંખ્ય દર્દીઓને સાજા કર્યા છે. રાજકોટમાં અને આસપાસના વિસ્તારના લોકોને આ પ્રકારની વ્યાધીઓમાંથી મુકત કરાવા, વૈદ્ય સ્તવન શુકલ દ્વારા રાજકોટમાં તેમની કિલનીક, વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્વીજય રોડ, રાજકોટ ખાતે તા. ૧૮ નવેમ્બરના રોજ રાહતદરે ઔષધષિ- નિદાન કેમ્પ કરી રહ્યા છે, જેમા નિદાન નિઃશુલ્ક રહેશે, જયારે ઔષધિ માટે ફકત ટોકન ચાર્જ લેવાશે. કેમ્પનો સમય સવારે ૬:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૪:૩૦ થી ૭:૩૦ નો રહેશે, વધુ વિગત માટે ૯૮ર૪૦૯૦૦૦૮ પર સંપર્ક કરી શકાશે.

વૈદ્ય સ્તવન શુકલ જે દવાઓ આપે છે, તે બજારમાં મળતી તેયાર દવાઓ નથી, પરંતુ તેઓ જાતે શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલ ઔષધ આપવાના આગ્રહી છે, જે ઘણી અકસીર, સચોટ અને અસરકારક છે. તેઓ માને છે કે, જે શુદ્ધ ઔષધના મિશ્રણો તેઓ વાપરે છે તે બજારમાં મળવા શકય નથી. તેમના ઔષધ ડેગ્યુ, હેમરેજિક ડેન્ગ્યુ (ડીએચએફ) અને વાયરલ તાવમાં રામબાણ ઇલાજ છે. જેનો થોડો ડોઝ લેવાથી દર્દીને તેની અસર અનુભવાય છે અને તાવની પરિસ્થીતીમાં નોંધપાત્ર સુધારો થાય છે. તેઓ ઉપર જણાવેલ વ્યાધી માટે ચૂર્ણ રૂપે ઔષધ આપે છે અને આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ સુચવે છે.

તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધો અને જડીબુટીઓ એકત્ર કરી વિવિધ હઠીલા રોગોની સફળ સારવાર કરે છે. વૈદ્ય સ્તવન શુકલના દાદા અને પર-દાદા પણ જાણીતા વેધરાજ હતા. રાજકોટ અને આસપાસના વિસ્તારના વોકો ડેંગ્યુ, હેમરેજિક ડેગ્યુ (૨૦૧) અને વાયરલ તાવથી પિડાતા હોય, તેમને ખાસ આ આયુર્વેદિક કેમ્પનો લાભ લેવા તેઓ ઇજન કરે છે.

કેમ્પ સ્થળ : વેદાંત ઔષધાલય, ૯- પ્રહલાદ પ્લોટ, દિગ્વિજય રોડ, રાજકોટ

વૈદ્ય સ્તવન શુકલ

(મો.૯૮૨૪૦ ૯૦૦૦૮)

(8:58 am IST)