Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રામનાથપરાની શહેનાઝને પતિ અભય કોળીએ ધોકાથી માર માર્યો

લવમેરેજ કરનાર યુવતિ માવતરે રિસામણે આવતાં સમાધાનના બહાને પતિએ ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૭: રામનાથપરા-૧૪માં સ્મશાન પાછળ હાલ માવતરે રહેતી અને કોળી યુવાન અભય ઉર્ફ અભલા સાથે લવમેરેજ કરનાર શહેનાઝ (ઉ.૨૨)ને તેના પતિ અભય ઉર્ફ અભલો શિયાળે ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

શહેનાઝ અભય શિયાળની ફરિયાદ પરથી પીએસઆઇ કે. એ. જાડેજાએ તેના પતિ અભય સામે ગુનો નોંધ્યો છે. શહેનાઝના કહેવા મુજબ તેણે ચાર વર્ષપહેલા અભય સાથે પ્રેમલગ્ન કર્યા છે અને સંતાનમાં ત્રણ વર્ષની દિકરી ધ્રુવી છે. હાલમાં અઠવાડીયાથી પોતે પતિના ઘરેથી માવતરે રિસામણે આવી છે. સાસરીયુ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં છે. પોતે સાંજે માવતરે હતી ત્યારે પતિ અભયએ સમાધાન કરવાના બહાને આવી ઝઘડો કરી ગાળોદઇ ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. પગમાં ઇજા થતાં ૧૦૮મ ારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી.

(2:54 pm IST)