Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

માવતરે રીસામણે આવેલી શહેનાઝ શિયાળને પતિ અભયે માર માર્યો

રામનાથપરા સ્મશાન પાછળ બનાવઃ ચુનારાવાડના અભય ઉર્ફે અભલા સામે ગુનો

રાજકોટ તા ૧૭ : રામનાથ પરામાં રીસામણે આવેલી  પ્રેમ લગ્ન કરનાર મહિલાને સમાધાન બાબતે પતિએ માર માર્યાની ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં.૧૪ માં માવતરે છેલ્લા અઠવાડીયાથી રીસામણે આવેલી શહેનાઝ અભય ઉર્ફે અભલો શીયાળ (ઉ.વ.રર) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ચાર વર્ષ પહેલા ચુનારાવાડ ઉદ્યોગનગર ના અભય ઉર્ફે અભલો કોળી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી છે અને છેલ્લા એક અઠવાડીયાથી  રીસામણે આવેલ  છે. ગઇકાલે પોતે તથા તેના પિતા ઘરે હતા ત્યારે તે વખતે ચુનારાવાડ શ્રમજીવી લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧/૧૪ મા ં રહેતો પતિ અભય ઉર્ફે અભલો શિયાળ (કોળી) ઘરે આવ્યો હતો અને પોતાને તેડી જવા અંને સમાધાન કરવા બાબતે વાતચીત કરતો હતો વાતચીત દરમ્યાન પતિ અભય એકદમ ઉશ્કેરાઇ ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ડાબા પગમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા તે ભાગી ગયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ. જાડેજા એ તપાસ હાથ ધરી છે

(2:54 pm IST)