Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ત્રણ દિવસના ધાંધીયા બાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ પાટે ચડયુ

રાજકોટ, તા. ૧૭ :. છેલ્લા ૩ દિવસથી રાજકોટમાં દસ્તાવેજ નોંધણીનુ કામ કરતી સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેકટીવીટી ખોરવાતા અરજદારો ત્રાહીમામ પોકારી ગયા હતા. આજે સવારથી કનેકટીવીટી પૂર્ણ મળતા રાબેતા મુજબનુ કાર્ય થઈ રહ્યુ છે.

શહેરના સબ રજીસ્ટ્રાર ઝોન ૪, ૫ અને ૬ તેમજ અન્ય ઝોનમાં છેલ્લા ૩ દિવસની કનેકટીવીટી ન મળતા દસ્તાવેજ નોંધણીના થપ્પા લાગી ગયા હતા. બહારથી આવતા અરજદારો સવારથી સાંજ સુધી ત્યાં બેઠા રહ્યા હતા. અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કલેકટરશ્રી તેમજ અન્ય સત્તા મંડળમાં રજુઆત કરવામાં આવી હતી.

આજ સવારથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેકટીવીટી મળતા છેલ્લા ૩ દિવસથી અટવાયેલી નોંધણી કાર્યવાહી રાબેતા મુજબ પાટે ચડી હતી.

(3:40 pm IST)