Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન માટે વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં જનજાગૃતિ કાર્યક્રમો

૯૩૦ નગરમાં કાળી ચૌદશે સ્મશાનોમાં મેળાવી માહોલ જમાવાશે : કકડાટના વડા, કુંડાળા કાઢવા, અનાજ પાણીનો બગાડ વગેરે બાબતોની અંધશ્રધ્ધામાંથી લોકોને બહાર લાવી સાચી સમજ અપાશે : લોકોમાં સ્વયંભુ જોવા મળતો ઉત્સાહ : છેલ્લા ૨૬ વર્ષથી ગેરમાન્યતામાંથી લોકોને બહાર લાવવા થઇ ચાલી રહેલ અભિયાન : શનિવારે રાત્રે ૧૧ વાગ્યાથી સ્મશાનોમાં ગેરમાન્યતા ખંડનના થશે કાર્યક્રમો : મેલીવિદ્યા, ભુપ, પ્રેત, જિન્નાતની વાતો હંબંગ પુરવાર કરી સરઘસ કઢાશે : જાથાના રાજય ચેરમેન જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ ઠેરઠેર જનજાગૃતિ કાર્યક્રમો : ભાવિ પેઢીને સાચુ જ્ઞાન આપવા સ્તૃત્ય પ્રયાસ

(11:42 am IST)