Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વેરો ઘટાડી દીધોઃ હવે ઉદ્યોગપતિઓ તંત્રની તીજોરી છલકાવોઃ મેયર-સ્ટે.ચેરમેનની અપીલ

રાજકોટ, તા.૧૭: કાર્પેટ એરિયા આધારિત ઇન્ડસ્ટ્રીયલના મિલ્કતવેરાના દરમાં રાજય સરકાર દ્વારા સુધારો મંજૂર થતા હવે ઉદ્યોગપતિઓ વહેલાસર મિલ્કત વેરો ભરવા બિનાબેન આચાર્ય, તથા ઉદય કાનગડે અપીલ કરી હતી.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય પા.સ્ટે. ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ સને ૨૦૧૮-૧૯માં કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરો લાગુ પાડવામાં આવેલ છે. જેના અનુસંધાને ઇન્ડસ્ટ્રીયલને કાર્પેટ એરિયા બેઈઝમાં કોમર્શીયલ દર લાગુ કરવામાં આવેલ. જેના અનુસંધાને ઇન્ડસ્ટ્રીયલ સાથે સંકળાયેલ એસોસિએશન દ્વારા અગાઉ કાર્પેટ એરિયા બેઇઝ પહેલા કોમર્શીયલ દરને બદલે ઇન્ડસ્ટ્રીઝનો દર રાખવામાં આવે છે. જેથી કાર્પેટ બેઈઝમાં પણ કોમર્સને બદલે ઇન્ડસ્ટ્રીઝ દર મંજુર કરવા રજૂઆત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સ્થાયી સમિતિ તથા જનરલ બોર્ડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને કાર્પેટ બેઇઝના ૨.૫ના દરની જગ્યાએ ૧.૭૫નો દર મંજુર કરવામાં આવેલ ઠરાવ રાજય સરકાર મંજુરી અર્થે મોકલતા રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહિણીના વિભાગ દ્વારા સુધારો મંજુર કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા મંજુર થતા ઇન્ડસ્ટ્રીયલ કાર્પેટ એરિયામાં વહેલીતકે સુધારો કરી આપવામાં આવશે. આ સુધારો  તથા આશરે ૧૫૦૦૦ જેટલા ઇન્ડસ્ટ્રીઝના માલિકોને આનો લાભ મળશે. આ સુધારાનો અમલ થયેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા તમામ માલિકોએ વહેલાસર મિલકત વેરો ભરી આપવા મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેે.ચેરમેન ઉદય કાનગડ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(3:39 pm IST)