Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સોરઠીયાવાડી સર્કલ પાસે બાઇક અથડાવવા પ્રશ્ને પિતા-પુત્ર પર હુમલો

અમીતભાઇ અને પુત્ર રાકેશ બંને સમાધાન કરવા ગયા 'તાઃ રાજ પાઉંભાજીવાળાના ૧૦ શખ્સોએ મારમાર્યાનો આક્ષેપ

રાજકોટ તા.૧૭ : સોરઠીયા વાડી સર્કલ પાસે બાઇક અથડાવવા પ્રશ્ને થયેલી માથાકુટ બાબતે સમાધાન કરવા ગયેલા દલીત પિતા-પુત્ર પર દશ શખ્સોએ છરી ધોકા-પાઇપ વડે હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ૮૦ ફુટ રોડ આનંદનગર-૮-બમાં રહેતા કોન્ટ્રાકટર અમીતભાઇ કરશનભાઇ વાઘેલા (ઉ.૪પ) નો પુત્ર રાકેશ રાત્રે બાઇક પર જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલક સાથે પોતાનું બાઇક અથડાતા માથાકુટ થઇ હતી, જે બાબતનું સમાધાન કરવા માટે રાકેશ અને તેના પિતા અમીતભાઇ બંને સોરઠીયાવાડી સર્કલ પાસે ગયા હતા. ત્યારે દસ જેટલા શખ્સોએ બંનેને છરી, ધોકા, અને પાઇપ વડે હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના પોલીસ ચોકીમાં અમીતભાઇ કરશનભાઇ વાઘેલા અને તેના પુત્ર રાકેશ બપોરે ૧ર વાગ્યે સોરઠીયાવાડી સર્કલ ચોકમાં હતા ત્યારે રાજપાઉંભાજી વાળાએ ઝઘડો કરી ૧૦ શખ્સોએ ધોકા, પાઇપ તથા છરી વડે હુમલો કર્યાની નોંધ થતા ભકિતનગર પોલીસને જાણ કરતા એએસઆઇ એસ.એન. મકવાણા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)