Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વસુંધરા રેસીડેન્સીમાં ગણેશોત્સવ

રાજકોટ : શહેરના એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા રેસીડેન્સીમા ગજાનન ગણપતિ બાપાનું ધાર્મિક વિધિ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું  છે.  સોસાયટીના રહીશો પણ શ્રદ્ધા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સંપૂર્ણ માટીની બનાવેલી ૪ ફુટની વિધ્નહર્તા ગણેશજીની આકર્ષક મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકૂટ, ૧૦૦૮ ગણેશજીની નામના પાઠ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ ને સફળ બનાવવા માટે સોસાયટી ના  શરદભાઈ દવે, દિનેશભાઈ સોમૈયા, વિરેન્દ્ર ખખ્ખર, અમિત માંડવીયા, ભરતભાઈ અગ્રાવત, પ્રદિપભાઈ દોશી, દિપકભાઇ જીવરાજાની, તેજસ ચૌહાણ, સંજયભાઈ પૂજારા, નરેન્દ્ર સખીયા, મહેન્દસિંહ ચૌહાણ, અમુભાઈ આણદાણી, રાકેશભાઈ મણીયાર, મનોજભાઈ સુરાણી, નિલેશભાઈ વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:55 pm IST)