Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

શ્રીનાથજી સોસાયટી ગણેશ ભકિતમાં ઓળઘોળઃ મહાઆરતીમાં જોડાતા ભાવિકો

રાજકોટઃ શહેરના મવડી મેઇન રોડ વિસ્તારમાં આપેલ  શ્રીનાથજી ૧૧માં ગણપતિ મહોત્સવનું દર વર્ષની   જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવે છે. ગઇકાલે મહાઆરતીમાં મેયર પ્રદીપ ડવ, કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, પિન્ટુભાઇ ખાટડી, અશોક બગથરીયા (અકિલા પ્રેસ-ફોટોગ્રાફર), રાજભા જાડેજા, યોગરાજસિંહ જાડેજા, વૈભવભાઇ બોરીચા, સુખદેવસિંહ ઝાલા, જયેશ રાવરાણી વગેરે જોડાયા હતા. આ ગણેશોત્સવના આયોજનને  સફળ બનાવવાં ઝવેર રાવરાણી, પ્રિન્સ બગથરીયા, રાજેશ પઢીયાર, હિરેન ગોસ્વામી, ધવલ ગોસ્વામી, કાદર મન્સુરી, હિતેષ રાઠોડ તેમજ ચિરાગ બારડ, માનવ રાજપુત વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:06 pm IST)