Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

હોમ આઇસોલેટ દર્દીઓ માટે મનપાનો ખાસ કંટ્રોલ રૂમ

આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓને સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ : ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા. ૧૭: કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે  શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૨૦૦ થી ટીમો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર મેગા સર્વેલન્સ થઇ રહયું છે અને આ માહિતીના આધારે એન્ટીજન ટેસ્ટિંગ, સારવાર સહિતના અનેક પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલી હોમ આઈસોલેશનની નિૅંશૂલ્ક સેવા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૩ જેટલા સંજીવની રથની સેવા આપવાના આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓકિસજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુર્ત જ ૧૦૮ ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે.

રાજકોટ મહાનગરપાલિકા ખાતે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જયાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના દ્યરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. જો દર્દીને વધુ તકલીફ જણાય તો ૧૦૮ બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે લઇ જવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે ૧૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી ૭૫ જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને ૩૫ થી વધુ લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આ સેવા ખરેખર આશીર્વાદરૂપ પૂરવાર થઇ રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-૦૨૮૧ ૨૨૨ ૦૬૦૦) રાઉન્ડ ધ કલોક (ચોવીસે કલાક કાર્યરત્ત્।) ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી કન્સલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.

(3:36 pm IST)