Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ દિકરીને જન્મ આપ્યોઃ કુંવારી મા બનાવનાર રાજૂ ભરવાડની શોધખોળ

ગત જાન્યુઆરીમાં સગીરાને ભગાડી બળાત્કાર ગુજાર્યાનો આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: શહેરની એક સગીરાને ગત જાન્યુઆરી માસમાં રાજૂ ભરવાડ નામનો શખ્સ ભગાડી ગયો હતો અને કિસાન ગોૈશાળા આસપાસ તથા ગેસ્ટહાઉસમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી સગીરાને ગર્ભ રહી જતાં પરિવારજનોને ખબર પડી હતી. પરમ દિવસે સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. કુંવારી માતા બનેલી આ સગીરાના કિસ્સામાં આજીડેમ પોલીસે બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ ગત જાન્યુઆરી માસમાં રાજૂ ભરવાડ સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો અને દૂષ્કર્મ ગુજાર્યુ હતું. એ પછી સાત મહિના બાદ સગીરાને ગર્ભ રહી ગયાની પરિવારજનોને ખબર પડી હતી. પરમ દિવસે તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. આ મામલે ગુનો નોંધી આજીડેમના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, વિરેન્દ્રસિંહ, સ્મીતભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપી રાજૂ હજુ હાથમાં આવ્યો નથી.

(3:43 pm IST)