Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જંગલેશ્વર પંજેતન શેરીમાં બાર વર્ષના અરૂઝ ઘાંચીનું વિજકરંટ લાગતાં મોત

પિતા વિહોણો ઘાંચી તરૂણ મ્‍હોર્રમ ડેકોરેશનના થાંભલાને અડયો ત્‍યાં જ જોરદાર ઝાટકો લાગ્‍યોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૭: જંગલેશ્વર ગાંધી સોસાયટી પંજેતન શેરીમાં રહેતાં અરૂઝ યુનુસભાઇ પીપરવાડીયા (ઉ.૧૨) નામના ઘાંચી તરૂણનું રાત્રે સાડા નવેક વાગ્‍યે ઘર નજીક જ આવેલી પોતાની મંડપ સર્વિસની દૂકાન પાસે હતો ત્‍યારે ઉભો થવા જતાં નજીકમાં જ મહોર્રમ ડેકોરેશનની લાઇટનો થાંભલો હોઇ તેને અડી જતાં જોરદાર વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો હતો. તેને તાકીદે મધુરમ્‌ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

ભક્‍તિનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ બી. બી. કોડીયાતરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર અરૂઝ બે ભાઇમાં નાનો હતો અને જ્ઞાનદિપ સ્‍કૂલમાં ધોરણ-૯માં ભણતો હતો. તેના પિતાનું બે વર્ષ પહેલા મૃત્‍યુ થયુ હોઇ પોતે મોટા બાપુ, દાદા, માતા, ભાઇ સહિતના પરિવારજનો સાથે રહેતો હતો. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

(4:05 pm IST)