Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બમ બમ ભોલે... ભીલવાસમાં શિવજીના ભજનોની જમાવટ

સુપ્રસિદ્ધ ગાયક જયદેવ ગોસાઈએ શિવભકતોને ડોલાવ્યા

રાજકોટ : શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના  ૭૨માં વર્ષમાં પ્રવેશ નિમિતે ૩- ભીલવાસમાં આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે સંતવાણી કાર્યક્રમ યોજાયેલ. જેમાં  સૌરાષ્ટ્રના નામાંકીત અને યુવા ગાયક જયદેવ ગોસાઈએ ક્રિષ્ણની રાસલીલા, શિવતાંડવ, શ્રી કૃષ્ણના પ્રેમભકિતના ગીતો, રામભજન ભાવ તેમજ ભગવાન ભોળાનાથના ભજનો પીરસી જમાવટ કરી હતી. શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના હોદ્દેદારો સર્વેશ્રી મહંત અમૃતગીરી ગોસાઈ, પ્રમુખ મહેશભાઈ વાગડીયા, ઉપપ્રમુખ ધર્મેશગીરી ગોસાઈ (મો.૭૫૭૫૦ ૩૦૪૭૪), ખજાનચી રાજુભાઈ વાઘેલા, વિનોદભાઈ મુલીયાણા, હસમુખભાઈ મે, જાદવભાઈ મે., રાજુભાઈ વાગડીયા, કાંતીભાઈ મુલીયાણા અને કાન્તીભાઈ એચ.મુલીયાણાએ જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)