Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શ્રી સદ્દગુરૂ આશ્રમે શ્રી ગણપતિ મહારાજનું શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક સ્થાપન

રાજકોટ : શ્રી સદ્દગુરૂ આશ્રમે ગજાનંદ ગણપતિ મહારાજનું આનંદ ઉલ્લાસ, વાજતે - ગાજતે સામૈયુ નીકળ્યુ હતું અને ગજાનંદ ગણપતિ મહારાજના વધામણા કરવામાં આવ્યા હતા. શ્રી ગણપતિ મહારાજનું પૂજન શ્રી સંદિપભાઈ ઘેટીયા તથા તેમના ધર્મપત્નિ સાધનાબેન સંદિપભાઈ ઘેટીયા દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યુ હતું. શ્રી ગણપતિ મહારાજના વધામણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ વસાણી તથા ગુરૂભકત તથા પત્રકાર શ્રી કાંતિભાઈ કતીરા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સર્વેશ્રી ભાવેશભાઈ વસાણી, પ્રફુલભાઈ વસાણી, સુરેશભાઈ વસાણી, બેચરભાઈ પરમાર, ઈન્દુબેન રાજદેવ, જયશ્રીબેન પટેલ તથા સ્ટાફ ભાઈ - બહેનો અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)