Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નરેન્‍દ્રભાઈ મજબૂત લોકપ્રિય - દીર્ઘદૃષ્‍ટા જનનાયકઃ આધુનિક શકિતશાળી વિકસીત રાષ્‍ટ્રના સ્‍વપ્‍નદૃષ્‍ટા

રાજકોટ : ગુજરાતનાં સપૂત અને ભારતનાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છા પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, આજે ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં શ્રી મોદીનો ફાળો બહુમૂલ્‍ય છે. નરેન્‍દ્રભાઈ  જેવા પુરૂર્ષાવાદી અને પરાક્રમી પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્‍વમાં દેશને સુશાસનનો લાભ મળી રહ્યો છે. તેમના નિષ્‍કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્‍છાશક્‍તિ જોઈ શકાય છે. છેલ્લાં ચાર વર્ષથી દિવસ-રાત નરેન્‍દ્રભાઈ મોદી ૧૨૫ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. એ અગાઉ જયારે તેઓ ગુજરાતનાં મુખ્‍યમંત્રી હતા ત્‍યારે પણ વિશ્વ ફલક પર તેમણે ગુજરાતને ખરા અર્થમાં ગૌરવવંતા રાજય તરીકેની ઓળખ અપાવી મોડેલ સ્‍ટેટ બનાવ્‍યું હતું. ગુજરાતને પ્રત્‍યેક ક્ષેત્રમાં યશ અને કીર્તિ અપાવવામાં નરેન્‍દ્રભાઈનો ફાળો અમૂલ્‍ય છે. પરિણામ સ્‍વરૂપે આ વાત ટાઈમ્‍સ પત્રિકાએ પણ મોદીનો ફોટો કવરપેજ પર આપીને કબૂલી હતી. સંદ્યર્ષ દ્વારા શરૂઆત થી  શિખર સુધીની સફર ખેડનાર નરેન્‍દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ અંત્‍યોદય એટલે કે અંતિમ વ્‍યક્‍તિ સુધી સેવા પહોંચાડવાના આશયથી સરકારી યોજનાનાં કેન્‍દ્રમાં ગરીબ અને સામાન્‍ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્‍યું છે. આ ઉપરાંત તેઓ વિદ્યર્ાીઓ, યુવાનો અને મહિલાઓ પ્રત્‍યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે. નરેન્‍દ્રભાઈની વિદેશી નીતિનાં કારણે વૈશ્વિક મંચ પર વિશ્વના લોકતંત્ર સમક્ષ ભારતની વાસ્‍તવિક ક્ષમતા-ભૂમિકા સ્‍પષ્ટપણે રજૂ થઈ છે. તેમની રાજય-રાષ્ટ્રીય રાજનીતિની કારકિર્દી અભ્‍યાસ કરતા માલૂમ પડે કે, તેમને માત્ર દેશસેવા અને પ્રજાહિતને જ પોતાનો જીવનમંત્ર બનાવ્‍યો છે. તેઓનાં દરેક કાર્ય અને વિચાર પાછળ માત્રને માત્ર દેશહિત અને લોકસેવા રહેલી હોય છે. પ્રતિભાવાન પ્રધાનમંત્રી તરીકે કરેલા કાર્યોનાં કારણોસર લોકલથી ગ્‍લોબલ કક્ષાએ મોદીજીની નોંધ લેવાઈ તેમના વખાણ થઈ રહ્યા છે.

નરેન્‍દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક છે. તેઓ સમાજની દરેક સમસ્‍યાઓને દૂર કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમને લોકોની વચ્‍ચે જવું, તેમની ખુશીઓમાં ભાગ લેવો તેમના દુઃખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે. ભારતના સૌથી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં ઓળખ બનાવનાર નરેન્‍દ્રભાઈથી કોઇપણ વ્‍યક્‍તિ સરળતાથી સંપર્ક કેળવી શકે છે. તેઓ જયારે ગુજરાતનાં મુખ્‍યમંત્રી હતા ત્‍યારે કે આજે જયારે દેશનાં વડાપ્રધાન છે ત્‍યારે જરા પણ બદલાયા નથી. તેમનામાં દ્યણીબધી હકારત્‍મક ખાસિયતો રહેલી છે જેનો વિરોધી પણ સ્‍વીકાર અને પ્રશંશા  કરતા થાકતા નથી.

(5:02 pm IST)