Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નરેન્‍દ્રભાઈને ખાસ શુભેચ્‍છા પાઠવતા રાજકોટના લાડલા સુહાસ પંડયા

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આજે જન્‍મદિન છે ત્‍યારે તેઓને દેશભરમાંથી શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે. દરમિયાન રાજકોટના લાડલા અને રાજકીય નેતાઓના સૌના માનીતા એવા શ્રી સુહાસ પંડયાએ શ્રી સુહાસ પંડયએ શ્રી મોદીને જન્‍મદિનની ખાસ શુભેચ્‍છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય સુહાસભાઈ સૌપ્રથમ પહોંચી જાય છે અને નેતાઓથી માંડી કાર્યકરો પણ તેમને આવકારી આગલી હરોળમાં જ સ્‍થાન આપે છે. સુહાસભાઈ ‘‘અકિલા''ના અનન્‍ય ચાહક છે. તેઓ વિવિધ રાજકીય આગેવાનો સાથે ફોટા પડાવવાનો ભારે શોખ ધરાવે છે. સુહાસભાઈએ ‘‘અકિલા''ના માધ્‍યમથી જન્‍મદિને શુભેચ્‍છાની લાગણી પહોંચાડી છે. (ફોન-૦૨૮૧-૨૪૭૬૭૯૬)

(12:52 pm IST)