Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લમ્‍પી વાયરસના નિવારણ અર્થે નર્મદેશ્વર મંદિરે યજ્ઞ

રાજકોટઃ હાલ રાજ્‍યભરમાં ફેલાયેલ ગૌમાતાના લમ્‍પી રોગના નિવારણ અર્થે તેમજ વિશ્વશાંતિ હેતુથી મવડી વિસ્‍તારના કડીયાનગર ગોકુલધામ ખાતે આવેલ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે આયોજીત યજ્ઞમાં આ વિસ્‍તારના તમામ ભાઇ-બહેનોએ આહુતિ આપી ગૌમાતાની રક્ષા માટે ભગવાન શિવને પ્રાર્થના કરેલ. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા મંદિરના પ્રમુખ લાલજીભાઇ ડોડીયા, મંત્રી વાગડિયાભાઇ, ટ્રસ્‍ટીઓ અનિલભાઇ ખેતાણિ,  જીતુભાઇ મકવાણા, મારુભાઇએ જહેમત ઉઠાવેલ. યજ્ઞના આચાર્ય પદે મંદિરના પુજારી શ્રી ગોપાલભાઇ ભટ્ટે સંભાળેલ હતું.

(4:23 pm IST)