Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઉમાભવન ખાતે મૌલેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન

રાજકોટઃ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર પ્રેરીત ઉમિયા પરીવાર સંગઠન સમિતિ રાજકોટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. ઉમાભવન ખાતે ઉમીયાધામ સીદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે ઉમીયાધામના ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ ઘોડાસરા, જગદીશભાઇ કોટડીયા, વલ્લભભાઇ વડાલીયા, પરષોત્તમભાઇ ફળદુ, રમણીકભાઇ ભાલોડીયા, નાથાભાઇ  કાલરીયા, કાંતિભાઇ માંકડીયા, રસીકભાઇ ફળદુ, તથા સમાજ આગેવાનો, દીનેશભાઇ  અમૃતિયા, કે,એમ, ભુવા, સી.એન જાવીયા, ગીરીશભાઇ ચારોલા, શીવલાલ આદ્રોજા, મનસુખભાઇ કાલરીયા, પ્રફુલ્લ કાથરોટીયા, ધર્મેન્દ્ર ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન સંગઠન સમિતિ રાજકોટના પ્રમુખ  સેવક કાંતીભાઇ ઘેટીયા, જયોતિબેન ટીલવા, ડેનીસ હદવાણીના માર્ગદર્શન નીચે સંગઠન સમિતિના અતુલ ભુત, નરેન્દ્ર ઘેટીયા, આનંદ અમૃતિયા ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાબડીયાએ વ્યવસ્થા સંભાળી હતી.

(5:02 pm IST)