Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રોહીદાસપરામાં જુના મનદુઃખમાં મનિષ પર હૈદરનો પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ રોહીદાસપરા ગાંધી વસાહતમાં રહેતાં અને ડ્રાઇવીંગ કામ કરતાં મનિષ નટવરલાલ મકવાણા (ઉ.૩૦)ને રાતે ઘર પાસે હતો ત્યારે તેના જ વિસ્તારના હૈદર કાદરી સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. અગાઉ મનિષના ભાઇ રાકેશ સાથે હૈદરને માથાકુટ થઇ હોઇ તેના મનદુઃખને લીધે હુમલો થયાનું જણાવાયું હતું.

 

 

(5:01 pm IST)