Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

નાગરીક બેન્ક દ્વારા ધ્વજવંદન

રાજકોટ : નાગરીક સહકારી બેન્ક લી. દ્વારા ૭૩માં સ્વાતંત્ર્ય પર્વે બેંકની હેડ ઓફીસ અરવિંદભાઈ મણીઆર નાગરીક સેવાલય ખાતે ધ્વજવંદન યોજાયેલુ હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે મહેશભાઈ ઓઝા (પ્રાંત સહકાર્યવાહ, સૌરાષ્ટ્ર પ્રાંત) અને ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) ઉપરાંત નલીનભાઈ વસા (ચેરમેન), ટપુભાઈ લીંબાસીયા (ઈન્ચાર્જ વાઈસ ચેરમેન - ડિરેકટર), ડાયાભાઈ ડેલાવાળા (પૂર્વ વાઈસ ચેરમેન - ડીરેકટર), ડિરેકટરોમાંથી અર્જુનભાઈ શિંગાળા, હરિભાઈ ડોડીયા, સી.એ. ગીરીશભાઈ દેવળીયા, શૈલેષભાઈ ઠાકર, દિપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કિર્તીદાબેન જાદવ, બાવનજીભાઈ મેતલીયા, સીએ ચંદ્રેશભાઈ ધોળકીયા, વિનોદ શર્મા (સીઈઓ - જનરલ મેનેજર), યતીનભાઈ ગાંધી (સીએફઓ) વિ. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભારત માતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીરને  દીપ પ્રાગટ્ય થયો હતો. આભારદર્શન શૈલેષભાઈ ઠાકરે અને સંચાલન કૃતિબેન વસાવડા કર્યુ હતું.

(3:35 pm IST)