Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

નવા થોરાળાના વૃધ્ધા રૂડીબેન મેરાણનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૭: નવા થોરાળાના હરિજનવાસમાં રહેતાં રૂડીબેન માવજીભાઇ મેરાણ (ઉ.૬૫) નામના વાલ્મિકી વૃધ્ધા સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

રૂડીબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમને હૃદયની બિમારી હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(1:23 pm IST)