Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજકોટમાં અટલજીની પ્રતિમા મુકાશે

અટલ સરોવર (રેસકોર્ષ-ર) અથવા શહેરમાં યોગ્ય સ્થળે બાજપાઇજીની પ્રતિમા મુકવા વિચારણા

રાજકોટ, તા., ૧૭: દેશનાં પુર્વ વડાપ્રધાન અને યુગના મહાન નેતા  અટલ બિહારી બાજપાઇજીનું દુઃખદ અવસાન થયું છે ત્યારે સમગ્ર દેશ શોકમાં ડુબ્યો છે અને સૌ કોઇ અટલજી સાથેની યાદો તાજી કરી રહયા છે.

ત્યારે રાજકોટ કોર્પોરેશનનાં તંત્રવાહકોએ પણ સદગત અટલ બિહારી બાજપાઇજીની કાયમી સ્મૃતિ સદગત અટલજીની પ્રતિમા મુકવા ગંભીરતા પુર્વક વિચારણા શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ શહેરની ભાગોળે નવનિર્મીત 'અટલ સરોવર' કે જે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટને અનેરી ભેટ છે તે અટલ સરોવર ખાતે અટલજીની પ્રતિમાં મુકી શકાય કે કેમ? તે બાબતની શકયતાઓ ચકાસાઇ રહી છે. અથવા શહેરમાં બીજા અન્ય સ્થળે પણ પ્રતિમા મુકવા વિચારાશે.

(3:19 pm IST)