Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જય જય શ્રી શીતળા માં

 આજે શ્રાવણ સુદ સાતમ હોય શ્રી શીતળા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન થયા હતા. સંતાનો અને પરિવારજનોની સુખાકારી માટે મહિલાઓ સાતમના અપવાસ કરી વ્રત પૂજન કરે છે. શ્રી શીતળા માતાજીનું પૂજન કરી ગોળ અને લોટમાંથી બનાવેલ કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. રાજકોટમાં સામા કાંઠે પાંજરાપોળમાં આવેલ પૌરાણીક શીતળા મંદિરે દર વર્ષે   સાતમે મેળાવી માહોલ જામે છે. આજે શીતળા સાતમ નિમિતે પુજન માટે ઉમટેલી મહીલાઓ તેમજ મેળાવી માહોલ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

 

(1:04 pm IST)