Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયી સાથે સરગમ કલબના સંસ્મરણો

 દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના દુઃખદ નિધન બદલ સમગ્ર સરગમ પરિવારે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ એક શોક સંદેશામાં સરગમ કલબના વાજપેયી સાથેના સંભારણા દર્શાવ્યા છે. તેમણે કહ્યું છે કે, રાજકોટની મુલાકાતે આવેલા વાજપેયી સરગમ કલબના વાજપેયી સાથેના સંભારણા દર્શાવ્યા છે. તેમણે કહ્યું છે કે રાજકોટની મુલાકાતે આવેલા વાજયેયી સરગમ કલબના બુક બેન્કના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણો સમય વિતાવ્યો હતો. આ કાર્યક્રમમાં અટલબિહારી વાજપેયીએ સરગમ કલબની વિવિધ પ્રવુતિઓ વિષે માહિતી મેળવી પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના શ્રેષ્ઠ ચીમનભાઇ શુકલ, પ્રવીણભાઇ મણિયાર, ડાહ્યાભાઇ ડેલાવાળા વગેરે સાથે પ્રીતિ ભોજન પણ લીધું હતું આજે જયારેૅ એ મહામાનવનું મહાપ્રયાણ થયું છે ત્યારે સરગમ પરિવાર આ જૂની યાદો વાગોળી રહ્યા છે. ગુણવંતભાઇએ જણાવ્યું છે.(૨૨.૫)

(11:38 am IST)