Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અહિથી નીકળવું હોય તો પૈસા દેવા પડશે...કહી ગુડ્ડુ બચ્ચન પર પથ્થરમારો

યુવરાજનગરનો બનાવઃ નશાખોર શખ્સ સતત હેરાન કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭: માર્કેટ યાર્ડ નજીક યુવરાજનગરમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મુળ બિહારના ગુડ્ડુ બચ્ચન સહાની (ઉ.૨૫)ને આ વિસ્તારમાં જ રહેતાં એક નશાખોરે પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

ગુડ્ડુના કહેવા મુજબ પોતે જે રસ્તેથી આવ-જા કરે છે ત્યાં રસ્તામાં નશાખોર રહે છે. તે અવાર-નવાર પોતાને અટકાવી 'અહિથી નીકળવું હોય તો પૈસા દેવા પડશે' તેમ કહી ધમકાવી પૈસા પડાવી લે છે. ગત સાંજે પણ  આ રીતે અટકાવી ગાળો દઇ પૈસા માંગતા ન દેતાં પથ્થરમારો કરાયો હતો.

(3:56 pm IST)