Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આ.ભ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા.દ્વારા યુવા જાગૃતિની આહલેકઃ યૌવન સિંહનાદ શિબિર

૧૫ વર્ષથી ૫૫ વર્ષ સુધીના જૈન- જૈનેતરો માટે : તા.૨૧/૭ થી ૨૮/૮ સુધી દર રવિવારે સવારે ૯ થી ૧૨ યોજાશે શિબિરઃ નામ નોંધાવી દેવા

રાજકોટ,તા.૧૭: પાશ્ચાત્યજગતની વિકૃતિસમા ભોગમાર્ગે જ, ભોગના રાહે જ ચાહ ધરાવતી આજની યુવાપેઢીને યૌવન, શુદ્ઘિ, શૌર્ય, સંસ્કૃતિ, સંસ્કારની લગની લગાડવા માટે, પાયમાલ થયેલ યુવાધનને વફાદારી, નૈતિકતા આદિની આંતરિક મૂડી દ્વારા સમૃદ્ધ કરવા માટે યુવાપેઢી સાથેની મુકત મસલત માટે પરમ પૂજય જૈન આચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજ સાહેબ દ્વારા યૌવન સિંહનાદ શિબિર યોજાઈ છે .

ભ્રષ્ટાચારા, દુરાચાર, વ્યભિચારની રોજીંદી વિકરાળ રાષ્ટ્રીય સમસ્યાઓનો કાયમી અને કામિયાબ ઉપાય એ જ છે કે આજની યુવાપેઢીને સદાચારનો માર્ગ દેખાડો તો ભ્રષ્ટાચાર દૂર થશે. શીલનો રાહ બતાવો-વ્યભિચાર દૂર થશે. સંસ્કૃતિનો પથ દર્શાવો-દુરાચાર રવાના થશે. સંસ્કારનો રરતો ચિંધો-ફુસંસ્કાર છૂ થઇ જશે. આ જ યુવાનો આ દેશની ધુરાને આવતી કાલે વહન કરવાના છે. માટે, શ્નન્ફૂદ્દલૃસ્ન ભ્યદ્દ ત્ઁફુજ્ઞ્ર્ી જ્જ્ઞ્શ્વસ્નદ્દલૃ ના શમણાં સાકાર કરવા માટે યુવાપેઢીમાં પરિવર્તન અનિવાર્ય છે. આ શિબિર તેનો અમોદ્ય ઉપાય છે, રામબાણ ઇલાજ છે. આ શિબિર ૨૧ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધી દર રવિવારે સવારે નવથી બાર દરમિયાન આરાધના ભવન , ૪/૧૪ જાગનાથ પ્લોટ ખાતે યોજાશે.શિબિરમાં જોડાવા માટે જાગનાથ જૈન સંઘ પેઢીનો સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૮  દરમિયાન સંપર્ક કરવો.

૧૫ વર્ષથી લઇ ૫૫ વર્ષ સુધીના તમામ યુવાન-યુવતીઓ માટે, ચાહે તે જૈન હોય કેં જૈનેતર સહુ માટે, આ શિબિરનું આયોજન છે. જો કોઈને ધર્મ પ્રત્ય એલર્જી હોય, તો પણ આ શિબિર માં આવવાથી તેમને ધર્મનું સાચું વૈજ્ઞાનિક સ્વરૂપ જાણવા મળશે અને તેમની એલર્જી દૂર થશે. આધુનિક જમાનાને અનુરૂપ સાયન્ટિકફીક વાતો જાણવા મળશે.

શિબિરના ત્રણ કલાક દરમ્યાન વિષય વૈવિધ્ય અપરંપાર મળશે, સાથે સાચી સફળતાને આંબવામાં સહાયક એક સંબલ (ભાથું) પણ મળી રહેશે. હેલ્ધી રીલેશનશીપ, સેલ્ફ ડેવલપમેન્ટ, ઇવોલ્યુશન, ટૂ જોય, લાઇફ ઇમ્પુવમેન્ટ, નો એન્ટ્રી, ટૂ એનીમી, ફિઅર ફેકટર્સ, જનરેશન ગેપ, ટ્રેઇલર ઓફ ધ પાસ્ટ, ફોર અનબ્રેકેબલ્સ, ગોલ, હિડન ટ્રેઝર્સ, ઇકો ઓફ ધ કયુચર ઇત્યાદિ અનેકાનેક આધુનિક યુવાનને માટે અત્યાવશ્યક વિષયો ઉપરની રોચક છણાવટ થશે. હાજર રહેનાર પોતાની કોઇપણ સમસ્યાને પણ રજૂ કરી શકે છે. સંતોષકારક સમાધાન પણ તેમને અવશ્ય મળશે. ઉપરોકત પ્રત્યેક વિષયની દ્રષ્ટાંતો સાથે અદ્દભુત છણાવટ દર રવિવારીય શિબિરમાં થશે.

પરમ પૂજય આચાર્યદેવ શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજ સાહેબે અસાધારણ વિદ્દતા પ્રાપ્ત કરેલ છે. સંસ્કૃત ભાષામાં બે લાખ જેટલા શ્લોક પ્રમાણ કઠિનમાં કઠિન વાતને સરળતાથી સમજાવવાની કળામાં તેઓ કાબેલ છે. એટલે જ તેમના પ્રવચનોએ યુવાનોને ખૂબજ આકર્ષ્યા છે. અનેક યુવાનોએ પૂજયશ્રીના પ્રવચનોથી જીવન પરિવર્તન કર્યુ છે. સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર, મોદી સ્કૂલ ઇત્યાદિ ૨૦ થી અધિક સ્કૂલોમાં તેમને નિમંત્રણ મળતા પ્રવચન ફરમાવેલ. ઘણી સ્કૂલોમાં પુનઃ પુનઃ માંગણી આવતા વધુ વખત પ્રવચનો પણ આપેલ છે. આ ઉપરાંત આત્મીય કોલેજ સહીતની કોલેજોમાં અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પૂજયશ્રીનું પ્રવચન ગોઠવાયેલ. એટલું જ નહી, રાજકોટ જિલ્લા જેલના કેદીઓ સમક્ષ પણ વારંવારના આમંત્રણથી પૂજયશ્રીએ વ્યાખ્યાન આપેલ છે. સર્વધર્મ સમભાવ પરિષદ્માં પણ મુખ્ય સંત તરીકે તેમને આમંત્રણ મળેલ. વૃદ્ઘાશ્રમ-મહુવા , અંધાશ્રમ,જુનાગઢ  ઈત્યાદી અનેક જગ્યાએ પૂજયશ્રીએ પ્રવચન ફરમાવેલ છે.

બીજી મુખ્ય વિશેષતા એ છે કે શિબિર અંતર્ગત, અભ્યાસ બાદ નોકરી કરવી કે વેપાર?, ધર્મ ચઢે કે વિજ્ઞાની, શાસનસેવા શી રીતે?, ફેમીલીં પ્લાનિંગ અપનાવવા જેવું ખરું?, એરેન્જ મેરેજ સારા કે લવમેરેજ? ઇત્યાદિ પ્રસ્તુત વિષયો ઉપર યુવાનો વચ્ચે જ ડિબેટનું આયોજન છે. વિવિધ વિષયો ઉપર સ્લાઇડ શો, પ્રોજેકટર દ્વારા પ્રેઝન્ટેશન પણ  કરવામાં આવશે.

જૈન ધર્મમાં પ્રસિદ્ઘ અત્યંત કઠોર અને ઉગ્ર સાધના કે જેનું નામ છે સિદ્ઘિતપ તેમાં પણ પૂજયશ્રીની પ્રેરણાથી સારા આરાધકો જોડાય છે. સાત વર્ષની બાલિકાએ તથા ૯ વર્ષના બળકે જામનગરમાં સિદ્ઘિતપ કરેલ.

(3:48 pm IST)