Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સુમતિનાથ જિનાલય, યુનિ.રોડ જૈન સંઘ તથા સભ્ય દ્વારા પ્રયાસ સંસ્થાને ૮૧ હજારનું અનુકંપા દાન

દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા પ્રયાસ પેરેન્ટસ એસો.ને ચેક અર્પણ

રાજકોટ,તા.૧૭: આજરોજ સાચાદેવ શ્રી સુમતિનાથ જિનાલય, શ્રી યુનિવર્સીટી રોડ જૈન સંઘ તથા સંઘના સભ્યોના આર્થિક સહયોગ દ્વારા અનુકંપા દાન રૂ.૮૧૦૦૦નો ચેક  પ્રયાસ પેરેન્ટસ ઓશોસીએશનના શ્રીમતિ પુજાબેન પટેલનો અર્પણ કરવામાં આવેલ.

પ્રયાસ પેરેન્ટસ એશોસીએશન દિવ્યાંગ બાળકો માટેનું ટ્રસ્ટ છે. જે ૨૦૦થી વધારે દિવ્યાંગ બાળકોની સ્કુલ ચલાવે છે. આ પ્રસંગે યુનિવર્સીટી રોડમાં બિરાજમાન પ.પૂ.સાધ્વીજી શ્રી વિનયરત્ના શ્રીજી મહારાજ સાહેબ આદી ઠાણા- ૨ તથા પ.પૂ. આચાર્ય શ્રી પ્રદિપચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ (હાલ મોરબી ચાર્તુમાસ) દ્વારા પ્રયાસ પેરેન્ટસ એશોશીએશના શ્રીમતી પુજાબેન પટેલને આર્શિવચન તથા શુભાષીશ આપવામાં આવેલ. આ પ્રસંગે યુનિવર્સિટી રોડ સંઘના સભ્યોની વિશાળ હાજરી રહેલ તથા યુનિવર્સીટી રોડ સંઘના ટ્રસ્ટીઓ તથા પ્રમુખ અનિલભાઈ વાઘર, ટ્રસ્ટી નિલેષભાઈ એચ.કોઠારી, પ્રશાંતભાઈ સંઘવી, પ્રકાશભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શાહ, પંકજભાઈ મહેતા દ્વારા અનુકંપાદાનનો ચેક શ્રીમતિ પુજાબેન પટેલને અર્પણ કરવામાં આવેલ.

(3:38 pm IST)