Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કુલપતિને પત્ર પાઠવી ચેપ્ટર ઉમેરવા યુવા ભાજપ મહામંત્રી ડો. નેહલ શુકલની માંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ભારતના વિકાસમાં યોગદાનનાં પાઠ અભ્યાસમાં લો

રાજકોટ તા. ૧૭ :.. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ભારતના વિકાસમાં યોગદાનના પાઠ અભ્યાસક્રમમાં સામેલ કરવા યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલએ કુલપતિને રજૂઆત કરે છે.

સીન્ડીકેટ સભ્ય અને યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલેએ એક યાદીમાં જણાવ્યું છે કે આઝાદી પછી સતત કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોની સત્તા કેન્દ્રમાં હોવાથી ઇરાદા પૂર્વક દેશના ઇતિહાસને માત્ર ને માત્ર ગાંધી પરિવારની આજુ બાજુ જ રાખી ને દેશના મહાનાયક સૌ લોકોના યોગદાન ને બદ ઇરાદાથી દેશના પુસ્તકોમાં કયાંય પણ સ્થાન મળવા દીધું નથી, આવી જ કિન્નાખોરીનો ભોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યો છે, એટલું જ નહીં સંઘની વિચારધારાને લોકો સમક્ષ વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. તેમ છતાં આજે દેશ એ વિચારધારાને સ્વીકૃતિ આપી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દેશના વિકાસમાં જે યોગદાન છે તેની સાચી સમજણ આવનારી પેઢીને આપવાની દરેક યુનિવર્સિટીની ફરજ છે તે પુરી કરવાની મારી માંગ છે.

(3:32 pm IST)