Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ડાંગરવાડામાં નર્મદાના નીરને વધાવતા ધારાસભ્ય ગોવિંદ પટેલ

રાજકોટ : નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ મુજબ સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ચેકડેમ નર્મદાના નીરથી ભરવાના સંકલ્પ સાથે શરૂ કરાયેલ સૌની યોજના તળે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામે નર્મદાના નીર આવી પહોંચતા ડાંગરવાડામાં જન્મેલા અને ઉછરેલા ત્યાંના ખેડુત એવા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગ્રામજનો અને સરપંચ સાથે નવા નીરના વધામણા કર્યા હતા. લોધીકા તાલુકાના ચાંદલી ગામ પાસેથી વાલ્વ ખોલી પાણી છોડવામાં આવેલ. જે ચાંદલી, જેતાકુબા, ડાંગરવાડાના ચેક ડેમ ભરીને ડાંગરવાડા ખાતે ફોફળ- ર ડેમમાં પાણીનો ભરાવો શરૂ થતા લોકોમાં ખુશીની લહેર છવાઇ હતી.

(3:00 pm IST)