Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રિટાયર્ડ સિનિયર ફોટોજર્નાલીસ્ટ

રાજેશભાઈ અને કિરણબેન જોબનપુત્રાના લગ્નજીવનના ૩૧ વર્ષ પૂર્ણઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (યુએનઆઈ)માં સેવા બજાવતા અને રિટાયર્ડ સિનિયર ફોટોજર્નાલીસ્ટ એવા શ્રી રાજેશભાઈ વી. જોબનપુત્રા અને શ્રીમતિ કિરણબેન આર.જોબનપુત્રાની આજે મેરેજ એનિવર્સરી છે. દંપતિના સુખમય જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી આજે ૧૭ જૂને ૩૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે રાજેશભાઈ રાજકોટ, દિલ્હી,  બરોડા અને જયપુરમાં સેવા બજાવ્યા બાદ હાલ છેલ્લા અઢી વર્ષથી હૈદ્રાબાદમાં સ્થાયી થયેલા છે. રાજેશભાઈ અને કિરણબેનને મિત્ર વર્તુળો, સગાસંબંધીઓ, સ્નેહીજનો દ્વારા અભિનંદનવર્ષા થઈ રહી છે. મો.૯૪૬૧૮ ૫૫૦૦૩, મો.૯૩૪૬૭ ૬૦૬૭૩

(11:30 am IST)