Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

શિવાજીનગરમાં સાસરિયામાં બાળકોને લેવા જતા પરિણીતા સંગીતા બારૈયાને છરી વડે હુમલો

સાવરકુંડલાની પરિણીતાની ફરિયાદ પરથી પતિ દિનેશ સાસુ શાંતુ અને દિયર ભાવેશ સામે ગુનો

રાજકોટ તા. ૧૭ : અમરેલીના સવારકુંડલામાં રીસામણે આવેલ પરિણીતા રાજકોટ થોરાળાના શિવાજીનગરમાં બાળકોને લેવા આવતા પતિ, સાસુ અને દિયરે માથાકુટ કરી ધોકા તથા છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાવરકુંડલા ખાંભા રોડ પર માવતરે રીસામણે આવેલ સંગીતા દિનેશ બારૈયા (ઉ.૩૦) એ રાજકોટ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના રાજકોટ થોરાળાના શિવાજીનગર શેરી નં.૧૧માં રહેતા દિનેશ બારૈયા સાથે લગ્ન થયા હતા.

લગ્નબાદ પતિ દિનેશ બારૈયા અને સાસુ શાંતુ બારૈયા અવાર નવાર ચારીત્ર્ય પર શંકા કરી ઝઘડો કરતા હોઇ તેથી તે સાવરકુંડલા માવતરે રીસામણે જતી રહી હતી અને તેના બાળકો રાજકોટ શિવાજીનગરમાં પતિ પાસે રહે છે. ગઇકાલે પોતે તેના બાળકોને લેવા માટે શિવાજીનગરમાં આવતા પતિ દિનેશ, સાસુ શાંતુ અને દિયર ભાવેશે ઝઘડો કરી ગાળો આપી પતિ દિનેશે ઉશ્કેરાઇને છરી વડે ડાબા હાથની આંગળીમા ઇજા કરી હતી. અને દિયર ભાવેશે લાકડાના ધોકા વડે પગમાં ઇજા કરી હતી અને સાસુ શાંતુએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોતે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.જી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)