Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કલ્યાણ પાર્કમાં પટેલ વૃદ્ધ અશોકભાઈ ડઢાણીયાનો ઝેરી દવાથી આપઘાત

બે વર્ષ પહેલા હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ પણ સારૂ ન થતા પટેલ વૃદ્ધે પગલુ ભર્યુઃ પરિવારમાં શોક

રાજકોટ, તા. ૧૭ :. નાનામવા રોડ પર કલ્યાણ પાર્કમાં હૃદયનું કરાવવા છતા સારૂ ન થતા પટેલ વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ નાનામવા રોડ પર કલ્યાણ પાર્કમાં રહેતા અશોકભાઈ ગોરધનભાઈ ડઢાણીયા (ઉ.વ.૭૦) પોતાના ઘરે હતા ત્યારે તેણે ઝેરી દવા પી લેતા તાકિદે તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઈ અજીતસિંહ તથા રાઈટર રિતેષભાઈ પટેલે તપાસ હાથ ધરી હતી. મૃતક અશોકભાઈને સંતાનમાં બે પુત્ર છે. તેઓ કારખાનુ ધરાવે છે. તે સત્સંગી હતા. બે વર્ષ પહેલા તેના હૃદયનું ઓપરેશન કરાવ્યું હતું છતા સારૂ ન થતા કંટાળી જઈ તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:16 pm IST)