Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગોંડલ રોડ પર અકસ્માતમાં ઘાવયલ માંગરોળ શારદાગ્રામના મેરામણભાઇ ખાંભલાનું મોત

૮મીએ રાત્રે અકસ્માત નડ્યો'તોઃ ટ્રક ડ્રાઇવર પ્રોૈઢ ત્રણ દિવસ અજાણ્યા તરીકે સારવાર લીધા બાદ ઓળખ થઇ હતીઃ આજે સવારે દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા.૧૭: નવ દિવસ પહેલા ગોંડલ રોડ પર સ્કોડાના શો રૂમ પાસે માંગરોળના શારદાગ્રામના રબારી પ્રોૈઢ મેરામણભાઇ સરમણભાઇ ખાંભલા (ઉ.૫૦)ને અકસ્માતમાં ઇજા થઇ હતી. તેમનું આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

મેરામણભાઇ ચાર ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં ચાર પુત્રી તથા એક પુત્ર છે. તેઓ ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તા.૮/૬ના રોજ રાત્રીના સાડા દસકે વાગ્યે તેમને ગોંડલ રોડ પર અકસ્માત નડતાં અજાણ્યા દર્દી તરીકે ત્રણેક દિવસ સારવાર લીધી હતી. એ પછી તેમની ઓળખ થતાં સગા સ્વજનોને જાણ કરવામાં આવી હતી. આજે સવારે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

(3:16 pm IST)