Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

લતાબાઈ મ.સ.ની વિદાયથી ગોંડલ સંપ્રદાય અને પ્રાણ- રતિ ગિરિ ગુરૂ પરિવારને ન પૂરી શકાય તેવી ખોટ પડી છેઃ પૂ.પારસમુનિ

ચારિત્ર નિષ્ઠા, સરલતા, પાપભીરૂતા પૂ.શ્રીના રોમ રોમમા વણાયેલા હતાઃ બુધવારે ધારી ખાતે ગુણાનુવાદ સભા યોજાશે

રાજકોટ, તા.૧૭: ગોંડલ સંપ્રદાયના પ્રાણ - રતિ ગુરૂ પરિવાર ના ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સાના આજ્ઞાનુવર્તી પૂ. લતાબાઈ મહાસતીજી  તા. ૧૬ સવારે ૮: ૩૦ કલાકે સંથારાવ્રત ની આરાધના સહિત મુંબઈ મુકામે કાળધર્મ પામેલ છે .

પૂ. લતાબાઈ મહાસતીજી નો જન્મ વિરપુર (ધારી)માં રત્નકુક્ષીણી માતા હેમકુંવરબેન અને પૂણ્યશાળી પિતા નાગરદાસભાઈ મકાણી ના આંગણે ૮૮ વર્ષ પૂર્વે થયો હતો. ચાર ભાઈ ને ચાર બેનો માં પૂ. લતાબાઈ મહાસતીજી વડિલ હતા.

પૂ. અમૃતબાઈ મ.સ ની અમૃત વરસતી વાણી એ તેમના માં વૈરાગ્ય નું બીજારોપણ કર્યું અને અમૃત ના સિંચન થી જાણે લતાબેન અમરત ના માર્ગે પ્રયાણ કર્યું. ધારીમાં ફાગણ વદ આઠમ ઈ.સ. ૧૯૬૧ માં દીક્ષા અંગીકાર કરી. ગુરૂણીમૈયા પૂ. અમૃતબાઈ મ.સ એ  'કરેમિભંતે' મંત્ર પ્રદાન કરેલ. જીવન પૂ.અમૃતબાઈ મ.સ ના ચરણોમાં સમર્પિત કર્યું.

પૂ. પ્રીતિસુધાબાઈ મ.સ પૂ. રોશનીબાઈ મ.સ પૂ. ભવ્યાનીબાઈ મ.સ એમ ત્રણ શિષ્યાઓ નો પરિવાર, ૬૦ વર્ષ નો દીક્ષા પર્યાય , ૮૮ વર્ષ નું આયુષ્ય ભોગવી સંથારા ની આરાધના સાથે પૂ. મહાસતીજી નો આત્મા ઔદારિક દેહ ને છોડી આજ તા.૧૬ના રોજ દિવ્યલોક ગામી બની ગયા.

પૂ. મહાસતીજી નું અંતિમ ચાતુર્માસ વિક્રોલી સંઘમાં થયું હતું  અને અંતિમ આયંબિલ ઓળી સદ્ ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા સંગાથે રાજાવાડી શ્રી સંઘ ઘાટકોપરને લાભ આપેલ. રાજાવાડી શ્રી સંઘ તથા હિંગવાલા શ્રી સંઘે પૂ. મહાસતીજી ની અગ્લાન ભાવે વૈયાવચ્ચ કરેલ. પૂ. મહાસતીજી નું આગામી ચાતુર્માસ મામલતદાર વાડી - મલાડ શ્રી સઘમાં નકકી થયેલ.

પૂ. મહાસતીજી ની પાલખી યાત્રા રવિવારે સાંજે ૫ કલાકે શ્રી મામલતદાર વાડી સ્થા. જૈન સંઘ મલાડથી નીકળી હતી.

ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ ગોંડલ તથા ગોંડલ સંપ્રદાય વતી પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તથા શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ , સી.એમ. પૌષધશાળા વતી ચંદ્રકાંતભાઈ શેર્ઠેં જણાવેલ કે પૂ. લતાબાઈ મ.સ ની વિદાય થી ગોંડલ સંપ્રદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

પૂ.લતાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તથા પૂ.હસ્મિતાબાઈ મ.સ.આદિ સતીવૃંદના સાનિધ્યમાં ધારી ખાતે તા.૧૯ને બુધવારે રાખેલ છે. પૂ.લતાબાઈ મ.સ.ની દીક્ષા ધારીમાં થયેલ

(4:11 pm IST)