Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમિતભાઇ શાહ રાજકોટમાં :સર્કિટ હાઉસમાં કરશે રાત્રિરોકાણ :ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

બપોરે 1 વાગ્યે પરિવાર સાથે સોમનથ પહોંચશે :સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે

રાજકોટ :ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ રાજકોટ પહોંચ્યા છે રાજકોટના તેઓના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અમિતભાઇ શાહ રાત્રી રોકાણ રાજકોટ સર્કિટ હાઉસમાં કરશે અને કાલે સોમનાથ દાદાના દર્શન કરશે

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં છે. બપોરના 1 કલાકે પરિવાર સાથે સોમનાથ પહોંચશે અને સોમનાથ મહાદેવની પૂજા કરશે. અમિતભાઈ  શાહના આગમનના પગલે રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શાહ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણીમાં પ્રચાર પૂર્વે તેઓ મહાદેવના દર્શન અચુક કરે છે. ચૂંટણી પ્રચાર પુરો થતાં અમિત શાહ સોમનાથ આવી રહ્યાં છે.

 રવિવારે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે અને આગામી 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે, ત્

(1:18 am IST)