Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ઉદેશ્વર સોમનાથ સેવા સમિતિ દ્વારા સમુહલગ્ન : ૯ યુગલોના પ્રભુતામાં પગલા

રાજકોટ : મવડી મેઇન રોડ પર ઉદયનગર-ર શ્રીનાથજી - પ ખાતે કાર્યરત ઉદેશ્વર સોમનાથ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં તૃતીય સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં ૯ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. વિન્ટેજ કારમાં બેસાડી રજવાડી સામૈયા કરાયા હતા. દરેક દિકરીઓને ટી.વી., ફ્રીઝ, સેટી પલંગ, ઘરઘંટી, કબાટ, સોના ચાંદીના દાગીના સહીતની કુલ ૧૧૧ વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઇ હતી. આ અવસરને માજી કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, કોર્પોરેટર સંજયભાઇ અજુડીયા, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ બોરીચા સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવવિવાહીત યુગલોને આશીર્વચનો આપ્યા હતા. સમગ્ર સમુહલગ્નોત્સવને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ બસીયા, વિજયભાઇ સબાડ, લાલાભાઇ વાંક, લાલાભાઇ ગોહીલ, યોગેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ માવલા, જગદીશભાઇ જોટાણીયા, સાગર વાંક, નરેશભાઇ દાવળીયા, મુન્નાભાઇ ધોબી, મેરામભાઇ બોરીચા, મુકેશભાઇ બોરીચા, કમલેશભાઇ નાથાભાઇ કુંભારવડીયા, ધર્મેન્દ્ર ખેરડીયા, ભીમભાઇ વિરડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં મંચસ્થ મહેમાનો તેમજ કરીયાવરની વસ્તુઓ, જાનૈયા માંડવીયા અને નવવિવાહીત યુગલો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)