Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

વરીયાળીનું સરબત વિનામુલ્યેઃ લાકડાના ચકલી ઘર, કપડાની થેલી, સૂર્યમુખીના બીજ, દેશી પીણાના પાવડરો રવિવારે રાહત દરે

રાજકોટઃ દેશીગાયનું ઘી ૧ કિલોના રૂ.૮૦૦, વિવિધ જાતના લોખંડના વાસણો વિવિધ જાતના ફળો રાહત દરે, વિવિધ જાત શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ, ઓર્ગેનિક  મગ ૧કિલોના રૂ.૮૦, રાહત દરે લીંબડા સાબુ, આદુ ૧કિલોના રૂ.૬૦, દેશીમુખવાસ, આંબલીનું વેચાણ ૧ કિલોના રૂ.૪૦,  વિવિધ જાતના માટીના વાસણો, લીલા નાળિયેર કિંમત રૂ.૨૦, પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ.૧૦, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા કિંમત રૂ.૧૦, લાકડાના ચકલી ઘર કિંમત રૂ.૫૦, બીજોરાનું સરબત રૂ.૧૦, હાથ વણાટના પાપડ,

કપડાની થેલીઃ લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ.૫ અને ૨૦ વેચાય છે. સમયની સાથે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે. કાપડના બોરા અને કાપડના પાથરણા રાહત દરે મળશે.

દેશી બીયારણઃ વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવી કે દુધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક પેકેટની કિંમત રૂ.૧૦ દેશી બીયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આ બીયારણ વાવી દેશી બીયારણને બચાવવાની ઝુંબશમાં સહયોગ આપવા વિનંતી કરાઈ છે.

સુર્યમુખીના બીજઃ સુર્યમુખી કોઈપણ ઋતુમાં અને કોઈપણ જમીનમાં વાવી શકાય છે .તેના ફુલ લાંબો સમય સુધી ટકે છે અને મધમાખીઓને પુષ્કળ મધ મળી રહે છે. સુર્યમુખીના પાકલ બીજ માંથી સરસ મુખવાસ બને છે. દરેક વાડીએ, ફળીયામાં, સ્કૂલ કોલેજોના મેદાનમાં અને કુંડામાં ઉગાડાય. એક પેકેટના રૂ.૧૦

અગરબતીઓઃ ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

ફુલછોડઃ કાશ્મીરી ગુલાબ અને ઈંગ્લીશ ગુલાબ (૧૫- જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહતદરે, લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ, મધ (પ્રવાહી સોનું):રૂા૨૪૦ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન લીવર- કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળ માંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ.૨૦૦ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ.૧૦૦માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણઃ (૧) આમળાં પાવડર, (૨) પંચામૃત પાવડર, (૩)ઠંડાઈ પાવડર (દુધ સાથે લેવું), (૪) ફુદીના પાવડર, (૫) લેમન હરબલ ટી પાવડર, (૬) લીંબુ પાવડર, (૭) ગુલાબ પાવડર (દુધ સાથે લેવું), (૮) કાચી કેરીનો પાવડર, (૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦ ટકા ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે અને તાત્કાલિક સરબત બનાવી શકાય છે અને સ્કૂર્તિ મળે છે અને આ ખેત પેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ.૧૩માં મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦ પેકટ આવતા હોય છે.

સુપઃ પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે. (૧) પાલક સુપ, કારેલાસુપ, મકાઈસુપ, ટમેટા સુપઃ ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુદ્ધ કરે, વિટામીન- સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ.૪૫ લેખે મળશે. બધા જ સુપો ૧૦૦ ટકા નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

સ્થળઃ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ, તા.૨૦ (દર રવિવાર રાજકોટ) સમય સવારે ૯ થી ૧

વધુ વિગતો માટે વી.ડી.બાલા, પ્રમુખ નવરંગ નેચર કલબ- રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮

(4:01 pm IST)