Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા બંધ

૫૦ ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ : એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે, ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું

અમદાવાદ,તા.૧૭ : કોરોનાની ચેઈન તોડવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો ડબલ મ્યુટન્ટ વાયરસ લઈને આવી રહ્યાં છે. આ જોતા ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જેને જોતા ગુજરાત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતથી ૩ રાજ્યોને જોડતી એસટી બસની સુવિધા પર મોટી અસર પડી છે. કોરોનાની અસરને પગલે સૌથી મોટી અસર જીએસઆરટીસી સેવા પર થઈ છે.

ત્યાર તકેદારીના ભાગરૂપે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તરફની બસ સેવા બંધ કરાઇ છે. રાજસ્થાન તરફના પ્રવાસીઓ ઘટતા ૫૦ ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ છે. આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું છે. તો બીજી તરફ, રાજકોટ એસટી વિભાગમાં ૫૦ થી વધુ મુસાફરો સંક્રમિત થયા છે. જેથી રાજ્યમાં ૯૦ થી વધુ એસ.ટી બસ સ્ટેન્ડના શેડ્યુલ રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.

(7:21 pm IST)