Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

આજીડેમ ચોકડીએ કર્ફયુનું કડક પાલન કરાવતી આજીડેમ પોલીસ અને થોરાળા પોલીસની ટીમો

રાજકોટઃ કોરોના સંક્રમણને કાબુમાં લેવા સાંજના આઠથી સવારના છ સુધી કર્ફયુના આદેશનો શહેર પોલીસ કડક અમલ કરાવી રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ,  ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી પુર્વ એચ. એલ. રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા તથા સ્ટાફ અને થોરાળા પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયા અને સ્ટાફે આજીડેમ ચોકડી ખાતે કડક ચેકીંગ કર્યુ હતું અને કર્ફ્યુનું પાલન કરાવવાની કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)